ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પ્રતિષ્ઠિત છઠ્ઠા તીર્થધામ ધોલેરામાં બિરાજમાન શ્રી મદનમોહનજી મહારાજના ૨૦૦ વર્ષની દિવ્ય અખંડ ઉપાસનાનો મહાઉત્સવ.
ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આ ઉદ્ધવ સંપ્રદાયની કાયાપલટ કર્યા બાદ ચીર કાળ સુધી ભજન અને કલ્યાણની ધૂણી ધગધગતી રહે તેવા હેતુથી છ શિખરબદ્ધ મંદિરોની સ્થાપના કરી. જેમાં ધોલેરા ધામ ઉપર શ્રીજીની સવિશેષ કૃપા રહી છે.
આર્થિક વ્યવસ્થાનો અભાવ, નૈસર્ગિક વાતાવરણ અને ખારા પાટને કારણે ભક્તો માટે અહીં આવવું ઘણું જ કઠિન હતું અને એટલે જ અહીં રહેતા સંતો ઉપર પ્રભુનો વ્હાલ પક્ષપાતી રહ્યો છે. સંવત ૧૮૮૨ ના વૈશાખ સુદ તેરસના દિને મહારાજે સ્વહસ્તે શ્રી મદનમોહનજી મહારાજ અને રાધારમણદેવની મૂર્તિ પધરાવી.
સંપ્રદાયનું પ્રથમ શિખરબદ્ધ મંદિર.
કચ્છ ભૂમિ પર શ્રીહરિની અમીકૃપાથી સ્થાપિત.
દક્ષિણ દેશ ગાદીપીઠ મુખ્ય સાર્વભૌમ ધામ.
ભાલ પ્રદેશના ઉદ્ધાર અર્થે સ્વહસ્તે સ્થાપિત ૬ઠ્ઠું ધામ.
સોરઠ ભૂમિનું મુખ્ય શિખરબદ્ધ તીર્થ.
દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજનું સ્નેહધામ.
શ્રીજી મહારાજના ચરણસ્પર્શથી પાવન થયેલી અક્ષરઓરડી જ્યાં મહારાજ વિશ્રામ કરતા.
મહોત્સવ પ્રસંગે નવનિર્મિત ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર.
હજારો હરિભક્તો માટે અવિરત અન્નક્ષેત્ર અને મહાપ્રસાદ વ્યવસ્થા.
ભવ્ય દિવ્ય સભા, કથા પારાયણ અને સંત પ્રવચન પરિસર.
વૈદિક મંત્રોચ્ચાર સાથે ૯ દિવસીય યજ્ઞની પવિત્ર યજ્ઞશાળા.
સદ્ગુરુ સંતોની સ્મૃતિમાં કંડારાયેલી અદ્વિતીય શિલ્પકલા વાળી છત્રી.
Check out the day-wise festival itinerary or reserve accommodation in advance for your family.